Monday, July 8, 2024
Homenationalઅમારી સરકાર જનપથથી નહીં જનમતથી ચાલે છે: મોદી

અમારી સરકાર જનપથથી નહીં જનમતથી ચાલે છે: મોદી

Date:

spot_img

Related stories

ICHELIN Guide Dubai 2024 Underpins Emirate’s Status As Culinary Hotspot

● Third edition of MICHELIN Guide Dubai unveiled during...

Anita Bhabhi’s sudden death in a bus accident?

Get ready for a shocking twist in the new...

Good news for people who want to travel to Thailand from Ahmedabad

oing to Thailand will be cheaper A low-cost airline is...

Why eat soil after victory? It was such a moment, see what Rohit Sharma replied

The Indian team reached Delhi from Barbados after winning...
spot_img

કટક: વડાપ્રધાન મોદીએ ઓડિસાના કટક ખાતેથી સરકારના ચાર વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું

પોતાની સરકારના ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના કટકથી રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. પીએમ મોદીએ એક રીતે પોતાની સરકારની ઉપલબ્ધિઓના ગાઈ વગાડીને વખાણ કર્યા અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. મનમોહન સરકારમાં સોનિયા ગાંધીની દખલ અંગે ઈશારો કરીને કટાક્ષ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે અમે જનપથીથી નહીં પરંતુ જનમતથી સરકાર ચલાવી રહ્યા છીએ. કાળા નાણાં અને કરપ્શન વિરુદ્ધ પોતાની સરકારની યોજાને લઈને મોદીએ જણાવ્યું કે અમે JAM એટલે કે જનધન, આધાર અને મોબાઈલની મદદથી રૂ. 80,000 કરોડ ખોટા લોકોના હાથમાં જતા બચાવ્યા છે.

યુપીએ સરકાર સાથે તુલના કરતા પીએમ મોદીએ જણાવ્યું કે આ સરકાર કન્ફ્યૂઝનવાળી નથી પરંતુ કમિટમેન્ટવાળી છે. ‘કમિટમેન્ટ વાળી સરકાર હોય ત્યારે દેશની રાજકોષીય ખાધમાં ઘટાડાનો પ્રયાસ સફળ થાય છે. કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી સરકાર જે રીતે લડાઈ લડી રહી છે તેનાથી કટ્ટર દુશ્મનો પણ દોસ્ત બની રહ્યા છે. લોકો આ બધું જ જોઈ રહ્યા છે.’ પીએમે વધુમાં જણાવ્યું કે, ‘રૂ. 45,000 કરોડથી વધુ બિનજાહેર આવકની માહિતી મળી છે. બેનામી સંપત્તિ લાગુ થયા બાદ રૂ.3,500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. પહેલા એવી કલ્પના કરાતી હતી કે મોટા માથાઓને કંઈજ થતું નથી. જ્યારે આજે ચાર પૂર્વ મુખ્યમંત્રી જેલની અંદર છે.’

‘ગરીબોનો પરસેવો અમારા માટે ગંગાજળ જેટલો પવિત્ર’
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘4 વર્ષમાં દેશના લોકોને ભરોસો થયો છે કે સ્થિતિ બદલાઈ શકે છે, હિન્દુસ્તાન બદલી શકે છે. દેશ નિરાશાથી આશા, કાળા ધનથી જનધન તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. કામાખ્યા, કન્યાકુમારી, બલિયા, બીદર, બાડમેર સુધી આ સરકાર સબ કા સાથ સબ કા વિકાસ માટે કામ કરી રહી છે. આ એ એનડીએ સરકાર છે, જેમના માટે ગરીબોનો પરસેવો, યમુના, નર્મદાના જળ જેટલો પવિત્ર છે.’

આ સરકારમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ ત્રણેય ગરીબ

પીએમે પોતાના સાધારણ બેકગ્રાઉન્ડનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘અમે ગરીબીમાંથી ઉપર આવ્યા છીએ, એટલા માટે અમે ગરીબોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. આ એવી સરકાર છે, જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પોતાનું જીવન એક-એક પૈસાની કિંમત કરીને વિતાવ્યું છે.’ ચાંદીની ચમચની કહેવત તો દૂરની વાત છે અમે બાળપણમાં ચમચી પણ જોઈ નહતી.’

ચાર વર્ષમાં ભાજપ 5 રાજ્યોથી 20માં પહોંચી
ભાજપે વિતેલા ચાર વર્ષમાં 5 રાજ્યોમાંથી 20 રાજ્યોમાં સરકાર બનાવી છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. દેશભરમાં ભાજપ આજે 1,500થી વધુ ધારાસભ્યો છે. સ્થાનિક સંસ્થાઓમાં હજારો પ્રતિનિધિઓ જનસેવામાં જોડાયેલા છે. મોદીએ કહ્યું કે વિતેલા ચાર વર્ષમાં ભાજપ ખરા અર્થમાં પંચાયતથી લઈને સંસદ સુધીનો પક્ષ બની ગયો છે. અમે પ્રજાના આર્શિવાદ મળી રહ્યા છે, એ કોી પક્ષ કે નેતાની જીત નથી પરંતુ સમગ્ર જનતાના વિશ્વાસની જીત છે. આ એ માતાઓના આર્શિવાદ છે જેમને ઉજ્જવલા યોજના થકી અમે ધૂમાડામાંથી મુક્તિ અપાવી છે. આ એ દીકરીઓનું સ્મિત છે જેમની સુરક્ષા અને શિક્ષણ બેટી-બચાવો બેટી પઢાઓ યોજનાથી મજબૂત થયા છે.

કડક નિર્ણયો લેવાથી ડરતા નથી અને મોટા નિર્ણયો લેવાનું ચૂકતા નથી

પીએમ મોદીએ પોતાની સરકારના ચાર વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતા જણાવ્યું કે, પ્રજાની મહત્વકાંક્ષા ત્યારે સ્પષ્ટ થઈ ગઈ હતી, જ્યારે પ્રજાએ 30 વર્ષ બાદ પૂર્ણ બહુમત સરકાર બનાવી હતી. અમે કડક નિર્ણયો લેવાથી ડરતા નથી અને મોટા નિર્ણયો લેવાનું ચૂકતા નથી. દેશમાં જ્યારે કન્ઝ્યૂઝન નહીં પરંતુ કમિટમેન્ટની સરકાર ચાલે છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવે છે. ત્યારે જ વન રેન્ક વન પેન્શનને મંજૂરી મળે છે. દાયકાઓથી અટવાયેલો બેનામી સંપત્તિ કાયદો લાગુ કરવામાં આવે છે. દુશ્મનોની સંપત્તિ જપ્ત કરવાનો કાયદો અમલી બનાવવામાં અમે સફળ રહ્યા.

ICHELIN Guide Dubai 2024 Underpins Emirate’s Status As Culinary Hotspot

● Third edition of MICHELIN Guide Dubai unveiled during...

Anita Bhabhi’s sudden death in a bus accident?

Get ready for a shocking twist in the new...

Good news for people who want to travel to Thailand from Ahmedabad

oing to Thailand will be cheaper A low-cost airline is...

Why eat soil after victory? It was such a moment, see what Rohit Sharma replied

The Indian team reached Delhi from Barbados after winning...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here